કોરોના કાળમાં ઘણી બેદર્કારીઓ કરવામાં આવી રહી છે જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો, જણાવી દઈએ કે મુંબઈના એક દંપતીના ૩૨ વર્ષના પુત્રને કોરોના થયો છે પરંતુ મુંબઈમાં પુરતી સારવાર ન મળતા પરિવાર તેને લઈને સુરત આવ્યા છે પરંતુ અહીં પર પરિવારની ખરાબ હાલત થઇ ગઈ છે. પિતાને હોસ્પીટલમાં જગ્યા મળી છે પરંતુ પુત્ર અને તેની માતા પગથીયા પર જ સારવાર લેતા જોવા મળી રહ્યા છે જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.
પરિસ્થિતિ હવે બેકાબુ :

કોરોનાના કેસ સતત વધતા હવે હોસ્પિટલો ફૂલ થઇ ગઈ છે અને દર્દીઓ ક્યાય સમાતા નથી. એવામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બહાર જ સારવાર કરવામાં આવે છે. જણાવી દઈએ કે ખાનગી હોસ્પિટલનો ચાર્જ ખુબ જ વધારે છે એવામાં તેના પિતાને જ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને માતા પુત્ર બહાર જ સારવાર લઇ રહ્યા છે.
કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વારો નથી આવતો :

સુરતમાં દરરોજ અંદાજે ૨૫૦ જેટલા મોત થાય છે, જો કે તમે સોશિયલ મીડિયા પર પણ સુરતના સ્મશાનનો વાઈરલ થયેલ વિડીઓ જોયો હશે જેમાં લોકો પોતાના પરિવારના સભ્યની લાસ લઈને અંતિમસંસ્કાર માટે લાઈનમાં ઉભેલા જોવા મળે છે. જણાવી દઈએ કે સુરતમાં અંતિમસંસ્કાર માટે ટોકન સુવિધા કરવામાં આવી છે. વારા પ્રમાણે અહીં અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. ઓછામાં ઓછી ૪ થી ૫ કલાક રાજ જોવી પડતી હતી પરંતુ હવે મૃત્યુ આંક વધતા વેઈટીંગ નો સમય ૧૦ કલાક નો થયો છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.